આ કોરિયોગ્રાફરે ઘટાડ્યું અધધધ…98 કિલો વજન, તો કપિલ શર્માએ ઉડાવી એવી મજાક કે…

સોની ચેનલ પર આવતો ધ કપિલ શર્મા શો લોકોને ખૂબ એન્ટરટેઇનમેન્ટ પુરુ પાડે છે. આ શોનો ઉદ્દેશ લોકોને હસાવવાનો છે અને કપિલ શર્માના પંચ પર લોકો ખૂબ હસતા હોય છે. ધ કપિલ શર્મા શોના આવનારા એપિસેડનો પ્રોમો આજકાલ ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. આવનારા એપિસોડમાં કપિલના શો પર કોરિયોગ્રાફર ત્રીપુટી ગીતા કપૂર, ગણેશ આચાર્ય અને ટેરેન્સ લુઈસ જોવા મળવાના છે. સોનીના ઓફિશિયલ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આ શોનો પ્રોમો બતાવવામાં આવી રહ્યો છે. આ પ્રોમામાં તમે જોઈ શકો છો કે ત્રણે કોરિયોગ્રાફર્સ તેમજ કપિલ શર્મા ખૂબ મસ્તી મજાક કરી રહ્યા છે.

image source

કપિલ ગણેશ આચાર્યને મજાકમાં પૂછે છે કે તમે કેટલું વજન ઉતારી લીધું માસ્ટરજી ? અને જવાબમાં ગણેશ આચાર્ય જે આંકડો બોલે છે તેને સાંબળીને ત્યાં હાજર બાધાના મોઢા પહોળા રહી જાય છે. તેઓ કહે છે કે તેમણે 98 કિલોગ્રામ વજન ઘટાડ્યું છે. જોકે તે સાંભળી કપિલ પોતાનું હસવાનું રોકી નથી શકતો અને કહે છે કે ‘તો તમે બે માણસોને ગાયબ કરી નાખ્યા છે’

ગીતા કપૂર સાથે પણ ખૂબ મજાક કરે છે કપિલ

image source

ગણેશ આચાર્ય સાથે મજાક કરી લીધા બાદ કપિલ ગીતા કપૂર તરફ ફરે છે અને તેણીના સૌંદર્યના ખૂબ વખાણ કરે છે. અને તેના બદલામાં તે ઇચ્છે છે કે ગીતા પણ કપીલના વખાણ કરે છે. ત્યારે ગીતા કપૂર કપિલને કહે છે કે તું મારી આંખોમાં જો તને ખબર પડી જશે કે તું કેટલો સુંદર છે.

image source

તમને જણાવી દઈએ કે કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ પોતાની જાતને સંપૂર્ણ રીતે ટ્રાન્સફોર્મ કરી લીધી છે. તેમનું બદલાયેલું રૂપ જોઈને બધા જ ચકિત રહી ગયા છે. ગણેશ આચાર્ય પહેલા ખૂબ જ વજન ધરાવતા હતા પણ હવે તેમને જોઈને તેમના વખાણ કરતાં લોકો થાકતા નથી. બેલીવૂડના ઘણા બધા મોટા સ્ટાર્સને પોતાના ઇશારા પર નચાવનારા ગણેશ આચાર્યએ ધ કપિલ શર્મા શોમાં આવીને પોતાના વેઇટલોસને લઈને ઘણીબધી વાતો શેર કરી હતી.

image source

તમને જણાવી દઈએ કે પેહલાં તેમનું વજન લગભગ 200 કિલો હતું. હાલ તેમણે ખૂબ જ વજન ઉતારી દીધું છે અને તેના કારણે તેઓ સાવજ અલગ દેખાઈ રહ્યા છે. તેને જોતા લાગે છે કે તેમણે તેની પાછળ ખૂબ મહેનત કરી છે. આ શોમાં કપિલે જ તેમની સાથે મજાક મસ્તી નહોતી કરી પણ કૃષ્ણા અભિષેકે પણ તેમની સાથે મસ્તી કરી હતી. કૃષ્ણા જેકી શ્રોફ બનીને ગણેશ આચાર્યને ખાલી ડબ્બો આપે છે ત્યારે ગણેશ પૂછે છે, ‘આ ખાલી કેમ છે ?’ તેના જવાબમાં કૃષ્ણા કહે છે તેમાં આચાર્ય ( અચાર એટલે કે અથાણુ) ભરીને આપી દેજો. તેના આ મજાકથી બધા જ હસી પડે છે.

ભારતી સિંહ ધ કપિલ શર્મા શોમાં પાછી ફરી

image source

થોડા દિવસો પહેલાં ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની તેમના ઘરમાં નશિલો પદાર્થ મળી આવવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી જોકે તેમને ત્યાર બાદ તરત જ જામીન મળી ગયા હતા. ત્યારે એવી અફવા ફેલાઈ હતી કે ભારતી હવે ધ કપિલ શર્મા શો પર દેખાશે નહીં પણ તે બધી જ અફવાઓને જૂઠી સાબિત કરતી ભારતી પાછી શો પર આવી ગઈ છે.

શોમાં થોડા સમય પહેલાં ગુજરાતના અક્ષર પટેલ સહિત આઈપીએલના બીજા ક્રીકેટર્સ પણ આવી ગયા છે. આ એપિસોડ પણ એન્ટરટેઇનીંગ રહ્યો હતો. આ શોમાં કપિલ શર્માની સાથે સાથે, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, સુમેના ચક્રવર્તી, ભારતી સિંહ વિગેરે કલાકારો પણ લોકોને મનોરંજન પુરુ પાડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ